સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજના પરચા - ૨

         આજ થી ૮ મહીના પહેલા હું પીરાણા દર્શન કરવા ગયો હતો મને બરાબર યાદ છે એ દિવસ અમાસનો હતો તેથી નારાયણબલી કરાવવા માટે ભીડ પણ વધારે હતી. બપોરનું ટાણું હતુ અને નારાયણબલીની વિધી ને ટાઇમ હતુ તેથી હું શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાનના મંદિર પાસે બેસીને પેપર વાંચી રહ્યો હતો અને મારી બરાબર સામે એક બીજી ગ્નાતીના બહેન બેઠા હતા જેમને પેટનો પ્રોબ્લેમ હતો, તેઓ એ બહુ બધી જગ્યા એ દવા કરાવી પણ કોઇ ફરકના પડ્યો. તેથી તેઓ પીરાણા સદગુરૂ શ્રી ના દર્શન કરવા માટે આવ્યા હતા પણ બપોરનું ટાણું હોવાથી સમાધી મંદિર બંધ હતું. અને તેઓ દુખવાને કારણે કણસતા બેસી રહ્યા હતા. મારાથી તેમનું દુઃખના જોવાતા મે એમને કહ્યુ મંદિરમાં જઇ અગરબતીની ખાખ લઇ પાણીમાં ભેળવી પી જાઓ સદગુરૂ શ્રી ની ક્રુપાથી ૧૦૦% સારૂ થઇ જશે અને ખરેખર પાંચ જ મીનીટમાં એ બહેનને પેટમાં રાહત થઇ ગઇ. આવા તો સદગુરૂ શ્રી ના કેટલાય પરચા છે.

બોલો સદગુરૂ શ્રી ઇમામશાહ મહારાજ ની જય જય

ઓમપ્રકાશ શર્મા
વાડજ - અમદાવાદ.

1 comments:

Unknown કહ્યું...

તોપા બંધ કર તારા ખોટા બનાવેલા કિસ્સા મૂકવા
નું

ટિપ્પણી પોસ્ટ કરો

શ્રી ઇમામશાહ મહારાજ જીવન વ્રુતાંત

પીરાણા સતપંથ મંદિર વિષેના આપના અનુભવો અથવા આપની કોઇ બાધા, માનતા,પ્રાર્થના પૂરી થઈ હોય તો અમને નીચે જણાવેલ email address par email કરી જણાવો અથવા નીચે જણાવેલ phone નંબર phone કરી જણાવો, જે અમે સતપંથ પ્રકાશ માં પ્રગટ કરીશું. email address:- info.satpanth@gmail.com or info@satpanth.org. Phone: - 094262 17685(Niteshbhai) or 099130 65108 (Keshubhai)

સતપંથ સેવક

ब्लॉग सूची